ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.
ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. જેની જાણ વીરપુરવાસીઓને થતા ખુશીનો માહોલ છવાયો હતો. ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.
આ અંગે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’