
પાટણ જિલ્લા ભાજપ મંત્રી તરીકે જાનકીબેન ચેતનભાઈ ઠક્કરની કરાઈ નિમણૂંક
પાટણ:તા ૩ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્મા સાથે ચર્ચા કરી પાટણ જિલ્લા ભાજપ સંગઠનના નવીન માળખાની જાહેરાત કરી છે.
આ ટીમમાં શંખેશ્વર તાલુકાના શંખેશ્વર નગરનાં જાનકીબેન ચેતનભાઈ ઠક્કરની મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતાં રઘુવંશી લોહાણા સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.તેઓ સેવાકીય પ્રવૃતિઓ સાથે લાંબા સમયથી સંકળાયેલ છે તેમજ ભાજપના એક વફાદાર અને નિષ્ઠાવાન મહિલા કાર્યકર છે.
લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ, પાટણ રીજીયનના પ્રમુખ ધનરાજભાઈ ઠક્કર તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી ઠક્કરે જાનકીબેન ઠક્કરને ભાજપે આપેલ મહત્વપૂર્ણ જવાબદારીથી અત્યંત રાજીપો વ્યક્ત કરી તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.
