
બાલંભા તા ૨૮ (*લલિત નિમાવત દ્વારા*) જોડિયા તાલુકાના બાલંભા ખાતે આરએસએસ શાખા દ્વારા ભુવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આરએસએસ બાલંભા મંડળ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરેલ હતું જેમાં હિંદુ ધર્મ ભારતીય મહાદ્વીપ મા થી ઉદ ભવેલો ધર્મ છે આ ધર્મના યજમાનો તેને સનાતન ધર્મ તરીકે પણ ઓળખે છે હિન્દુ ધર્મ અર્વાચીન યુગમાં પ ડાતા ધર્મોમાં સૌથી જુનો ધર્મ છે. તેમના મૂળ વૈદિક સંસ્કૃતિ માં રહેલ છે જેનો હેતુ ધર્મની સેવા. રક્ષણ. સંસ્કાર કે સમુદાયની પ્રગતિ હોઈ શકે છે.
ઉપરોક્ત સંમેલનમાં પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન દીપકભાઈ ત્રિવેદી ( જામનગર ગ્રામ્ય વિસ્તાર શારીરિક પ્રમુખ ) દ્વારા કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમમાં બાલંભા આરએસએસ સદસ્ય અજયભાઈ રામપરિયા. પ્રફુલભાઈ ચોટલીયા. શીવાભાઈ ગોહિલ. ભીમજીભાઇ વાઘેલા. દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ હતું. બાલંભા ઉદાસી આશ્રમના મહંત શ્રી જ્ઞાન મુનિબાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ સંમેલનમાં મોટી સંખ્યામાં બાલંભા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે ભારત માતાની પૂજા અર્ચના પ્રસાદ સાથે ભારત માતાકી જય ઘોષ સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ

