• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Latest-NewsOther

મોટી કરૂણાંતિકા: પાલનપુરના ભાખર ગામમાં દૂધ દોહવાના મશીનથી કરંટ લાગતાં 11 ગાયનાં મૃત્યુ

પાલનપુર તાલુકાના કોટડા ભાખર ગામમાં વહેલી સવારે પશુઓ દોહવાના મશીન દ્વારા અગિયાર દુધાળી શંકર ગાયો શોર્ટ સર્કિટ થતાં ગાયોને કરંટ લાગતાં તમામ ૧૧ ગાયોના મોત નિપજ્યા હતા.

પાલનપુરના ભાખર કોટડા ગામના રામસીંગભાઈ ચૌધરી એ પોતાના ખેતરમાં તબેલો બનાવી ૧૪ ગાયો રાખી તેની દુધની આવકમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે તેઓએ નિત્યક્રમ મુજબ આજરોજ વહેલી સવારના સુમારે ગાયોને દોહવા માટે ઓટોમેટિક મિલ્ક મશીન લગાવ્યુ છે.

જે મશીનમાં ઈલેકટ્રિક શોર્ટ સર્કિટ થવાને કારણે તબેલામાં ઉભેલી ૧૧ ગાયોને એક જ સાથે કરંટ લાગ્યો અને તમામ ૧૧ દુધાળી ગાયો એકસાથે મૃત્યુ પામી હતી. ત્યારે ખેડુત પરિવારના માથે ગાયોના મોત થવાથી માથે આભ તુટી પડયુ છે અને હવે ખેડુતને લાખો રૂપિયાનુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં અંદાજીત ખેડુતને ૧૦ થી ૧પ લાખ રૂપિયાનુ નુકશાન થયું છે.

ગાયોના મોત અંગેના સમાચાર આસપાસના ગામોમાં પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં બનાસડેરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જયાં તબેલો ગાયોથી ભરેલ હતો તે થોડી જ વારમાં ખાલી થઈ ગયો હતો.

Related posts

*દુબઈ મધ્યે સંત શિરોમણી જલારામ બાપાની 223 મી જન્મ જયંતી ધામ પૂર્વક ઉજવાય*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે બરફ ના શિવલીંગ ના દર્શન યોજાયા.*

Hello Morbi

*નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા માં વિશ્વ મહિલા દિન યોજાયો*

Hello Morbi

Leave a Comment