*વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામમાં રહેતા માનવ સેવક અને પશુ પંખી સેવક તરીકે સતત સેવાકીય કાર્ય માટે દોડ મૂકે એવા યુવાનની આછી ઓળખ મોટો પ્રકાશ પાડે છે કારણ કે નાના એવા પ્રતાપ ગઢ ગામમાં રહેતા અને વ્યવસાયે રીક્ષા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એવા અભણ અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાન ભાઈ જેઓને માત્ર પ્રતાપ ગઢ નહી પરંતુ મોટાભાગના વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અગ્રણીઓ આગેવાનો સામાજિક કાર્યકરો તેના નામ અને કામ થી ઓળખતા જ હશે !? એવા એક યુવાનની માનવ સેવા પણ કાબિલે દાદ છે કારણકે નાતજાતના ભેદભાવ વગર મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલના કામ માટે નિસ્વાર્થ કાર્ય માટે તત્પર રહે છે અને પશુ પંખી પ્રત્યે લાગણીશીલ સેવાના કાર્યોમાં તત્પર રહ્યા છે. તાજેતરમાં મકરસંક્રાંતિ નામી અનામી સંસ્થાઓ દ્વારા પશુ-પંખીને સેવા કાર્યો કરતા તહેવાર લક્ષ્ય દેખાય છે ત્યારે મુસ્લિમ યુવાન અહેમદ ખાન ખાન ભાઈ બારેમાસ કોઈપણ પશુ-પંખીને અકસ્માત ઘટનામાં સેવા આપી પશુ પંખી ના આશિષ મેળવી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ ગત તારીખ 13 1 2021 ના રોજ અમરસર ફાટક પાસે કલકલિયો કાબર કોઈ ફોરવીલ સાથે ટકરાતા તેના પગમાં ઇજાઓ થતાં તેને સારવાર આપી હતી અને તારીખ 14 1 2001 ના રોજ પવિત્ર મકરસંક્રાંતિ નિમિત્તે પોતાની રિક્ષા વડે જાતે પેટ્રોલિંગ કરી પશુ-પંખી પ્રત્યે જખમી થયેલા પશુ-પંખી ને ખાનભાઇ અકસ્માતે ઇજાગ્રસ્ત ના થાય એ માટે માનવ સેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અત્રે નોંધનીય છે કે વાંકાનેર તાલુકાનું પ્રતાપ ગઢ ગામ ખાતે તેના જ કાકાના દીકરા સલીમ ખાને તાજેતરમાં જ નીલગાય (રોજડુ) બચાવી માનવતા દેખાડી છે ત્યારે વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામમાં ખાન પરિવાર દ્વારા આ પશુ-પંખી પ્રત્યે લાગણીશીલ સેવા કાર્યને ધન્યવાદ છે જેથી અન્ય પશુ-પંખીને માનવો રક્ષણ પૂરું પાડે તે આજના ટેકનોલોજી આધુનિક યુગની તાતી જરૂરિયાત છે
next post
