
મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩ નું સંપર્ક કાર્યાલય સતત સક્રિય રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ સામતભાઈ જાળીયા જેવો સતત ત્રણ ટ્રમ થી વોર્ડ નંબર 13 સતત ચૂંટણીમાં વિજય થયા છે જેથી કાઉન્સીલર તરીકે ખરા અર્થ એ પ્રજાના પ્રતિનિધિ તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા છે અને સેવાકીય કાર્યોમાં પણ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર વોર્ડ નંબર 13 સહિત મોરબી શહેર જિલ્લામાં વિવિધ પ્રકારની સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન યથાશક્તિ પ્રમાણે ભરતભાઈ આપી રહ્યા છે ત્યારે નોંધનીય છે કે તેના પિતા સામતભાઈ જારીયા જેઓએ મોરબી નગરપાલિકામાં અગાઉ પ્રમુખપદ સતત બે વખત સંભાળ્યું છે અને તેઓ આજની તારીખે પણ ચાણક્ય રાજકીય નેતા તરીકે મોરબી શહેર જિલ્લામાં જાણીતા છે જેના પરિણામે ભરત જારીયા નો જય જયકાર તેના પિતાના આશીર્વાદ થી થઈ રહ્યો હોય તેઓ રાજકીય ક્ષેત્રે ચર્ચાના ચકડોળે રહ્યું છે ત્યારે નોંધનીય છે કે વોર્ડ નંબર 13 માં પાયાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે તેઓનું જન સંપર્ક કાર્યાલય તેઓના નિવાસ સ્થાને જેલ રોડ ખાતે બારેમાસ સતત ખુલ્લું રહ્યું છે જેથી વોર્ડ નંબર 13 મા સામાજિક પ્રશ્નો સેવાકીય પ્રશ્નો સહીત નગરપાલિકાના ને લગતા વિવિધ પ્રશ્નો અંગે તેઓનું જનસંપર્ક કાર્યાલય તસવીરમાં નજરે પડે છે જેમાં ચાણક્ય બુદ્ધિ ધારી રાજકીય નેતા સામતભાઈ જારીયા અને તેમના પુત્ર ભરત ભાઈ જારીયા કાર્યાલય માં તસવીર નજરે પડે છે
