પારીઆ પરિવારનું ગૌરવ વધારતા હેતલ પારીઆ

રાજકોટ ની શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા નંબર 1 ના આચાર્ય તરીકે ફરજ બજાવતા હેતલબેન માલજીભાઈ પારીયા વતન રોહિશાળા તાલુકા ટંકારા એ પ્રો ડાયરેક્ટર ડો badrau વાછરાજાની સાહેબના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ “શિક્ષકોની કથાઓ: શિક્ષકોના વિકાસનો એક ગુણાત્મક અભિયાસ” શિક્ષણ શાખામાં રજૂ કરેલ જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ માન્ય રાખી પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરી છે. હેતલબેનએ મેળવેલ આ ખ્યાતિથી પારીઆ પરિવારનું સમાજ અને કુટુંબનું ગૌરવ વધારેલ છે.
