મોરબીના યુવા ઉધોગપતિ અને રાષ્ટ્ર ભક્ત અજય લોરિયાનું સી આર પાટીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અજયભાઈ શહીદોની સહાય માટે સદાય તત્પર રહે છે તો સમાજ કાર્યમાં અગ્રેસર રહીને સેવા આપી રહ્યા છે
આજ રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં અધ્યક્ષ તરીકે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સરપંચો સાથે સંવાદ કર્યો હતો તો બાદમાં મોરબીના યુવા ઉધોગપતિ અને રાષ્ટ્ર ભક્ત, રામ મંદિરમાં ફાળો આપવા, રામ મંદિર નિર્માણની તમામ કામગીરીમાં તો શહીદ પરિવારોની પડખે ઉભા રહીને યથાશક્તિ મદદ કરવા તેમજ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં લોકોની સેવા કરનાર અજય લોરિયાનું સી આર પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.તો ઉપસ્થિત તમામ અગ્રણીઓએ પણ અજયભાઈ લોરિયા પર શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો તો અજયભાઈ લોરિયા સામાજિક કર્યો કરતા રહે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી
