મોરબી: રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને આજે શનિવારે મળેલી કોર કમિટીની બેઠકમાં નવા આદેશ સુધી રાજ્યની ધોરણ 1થી 9નું શૈક્ષણિક કાર્ય કરતી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1થી 9ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે તેવો કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો
