તા.05.06.2021 ના રોજ જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાધવજીભાઇ પટેલ ની આગેવાની હેઠળ કેન્દ્ર ની ભાજપ સરકારના સાત વર્ષ પૂર્ણ થયા. તેની ઉજવણી માટે ભાજપ પક્ષ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ “સેવા હી સંગઠન” દ્વારા આજ રોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બેરાજા.. બારાડી..વાવડી.. નેસડા.. લીંબુડા.. અને હડિયાણા આ બધા ગામનો પ્રવાસ કરવામાં આવ્યો હતો.. આ પ્રવાસ કાર્યક્રમ ના શ્રી રાધવજીભાઇ પટેલ( ધારાસભ્ય ,ગ્રામ્ય વિસ્તારના).શ્રી ધરમસિભાઈ ચનીયારા (જામનગર જિલ્લાના પચાયત ના પ્રમુખ,).શ્રી ભરતભાઇ દલસાણીયા.(જો.તા.ભાજપના પ્રમુખ).રસિકભાઈ ભંડેરી(પુર્વ ચેરમેન માં.યાર્ડ ધ્રોલ). ભાવેશભાઈ મકવાણા.(સદસ્ય તા.પ.જોડિયા).અરવિંદભાઈ ભીમાણી (સદસ્ય તા.પ.જોડિયા,). રામસંગભાઈ પરમાર. (બેરાજા)., જયસુખ ભાઇ પરમાર (જોડિયા ભાજપના મહામંત્રી).નરોત્તમભાઈ સોનગરા (જોડિયા ભાજપના તા.પ.ના દડક). વિગેરે દ્વારા દરેક ગામોમાં જઇ ને માસ્ક નું વિતરણ કરેલ. તેમજ કોરોના નાબુદ થાય તે માટે દરેક ગામમાં રાધવજીભાઇ પટેલ દ્વારા માર્ગદર્શન આપવા માં આવેલ. લોકો કોરોના ની ત્રીજી લહેર ન આવે તે માટે જાગૃત થાય.તેમજ દરેક ગામ ના પડતર પ્રસ્નોની જાણકારી મેળવી હતી.પડતર પ્રસ્નના વિકાસ માટે જરૂરી કાર્યવાહી કરવાનું આહવાહન આપેલ છે….
શરદ એમ.રાવલ.. હડિયાણા…