

તા.10/07/2021 ના રોજ નેશનલ લોકઅદાલત સમગ્ર ગુજરાત રાજ્ય ની અદાલતોમા યોજાવાના ના પગલે જામનગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ની સુચના અને માર્ગદર્શન હેઠડ જોડીયાકોર્ટ મા પણ લોકઅદાલત નુ આયોજન કરવામા આવેલ હતુ, આ લોકઅદાલત જોડીયા ના મેજીસ્ટ્રેટ શ્રીમતી સુદેશગીલ સાહેબની અધ્યક્ષતામા યોજવામા આવેલ હતી, આ પ્રસંગે જોડીયાબાર એસોસીએશન ના પ્રમુખશ્રી વી.એસ.માનસાાતા, સેક્રેટરીશ્રી એ.પી.માંકડ ની ખાસ ઉપસ્થીતીમા સાથી વકીલોમા રાજેશભાઇ પંડ્યા, જયભાઇ માંકડ, દિનેશભાઇ ભીમાણી, જીતુભાઇ પરમાર, રસીકભાઇ લાંઘણેજા, કે.કે.ગોહીલ હાજર રહી લોકઅદાલત સફળ બનાવવા મહેનત કરેલ હતી

લોકઅદાલતમા ફોજદારી તથા દિવાની ઉપરંતા પી.જી.વી.સી.એલ. તથા બેંકો ના લ્હોણી રકમ ના પ્રીલીટીગેશન ના કેસ મુકવામા આવેલ હતા તેમ જોડીયા ના ખુબ મોટા પાયે કેસો નો નીકાલ કરવામા આવેલ હતો
આ લોકઅદાલતમા કોર્ટ સ્ટાફમા રજીસ્ટારશ્રી રાજુભાઇ નીમ્બાર્ક, વિજય રાઠોડ, ભાર્ગવ નકુમ, જાકીર બાબી, કમલેશભાઇ તથા હિતેષ ડાંગર એ ભારે જહેમત ઉઠાવેલ હતી…..


શરદ એમ.રાવલ.. હડિયાણા..
