
વાંકાનેર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને વાંકાનેર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ઈસ્માઈલભાઈ કડીવાર ના પત્ની નુરજા બેન જેવો સખીમંડળ ચલાવી અન્ય મહિલાઓને સરકારી યોજના અંતર્ગત માર્ગદર્શન રહ્યા છે અને સરપંચ હોવાથી તેઓ વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ એવા વાલાસણ ખાતે વિકાસ લક્ષી કાર્યો કરી નાના એવા વાલાસણ ગામ માં મોટી ઓળખ પૂરી પાડી છે
વાંકાનેર તાલુકાના વલાસણ ગામ ખાતે કોમી એકતાના પ્રતીક વાદવિવાદ થી દુર રહી સર્વેનો સાથ સૌનો વિકાસ લક્ષી કામ કરી રહ્ય પાણીના તળાવ ઊંડા કરાવ્યા છે સાથે સાથે પેવર બ્લોક સહિત ગ્રામ્ય વિકાસ લક્ષી કાર્ય માં કુવા બોર સંપ અને પાણી માટે ઊંચી ટાંકી કરી લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તેવા પ્રયાસો કર્યા છે જ્યારે પોતાનું વાલાસણ ગામ હરીયાળુ રહે તેવા પ્રયાસો અંતર્ગત પર્યાવરણનું જતન કરી ૫૦૦ જેટલા વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા જેમાં લીમડો આસોપાલવ સહિતના જુદા-જુદા વૃક્ષોરોપણ કર્યા હતા જ્યારે સરકારી યોજના અંતર્ગત ગ્રામજનોમાં જાગૃતિ એકતા સાથે સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો સહિત તમામ ચૂંટાયેલા સભ્ય ની બોડીના સાથ સહકાર સલાહ સૂચન સાથે સાથે વાદવિવાદ વગર વિકાસ લક્ષી કાર્યો માં વેગ આપવા સહભાગી બન્યા છે અત્રે નોંધનીય છે કે અગાઉ તેમના પતિ ઈસ્માઈલ ભાઈ કડીવાર આગલી બોડીમાં સરપંચ હતા 2011થી 2017 દરમિયાન ઈસ્માઈલભાઈ માજી સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ છેલ્લા ૨૫ વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં સરકાર દ્વારા યોજના અંતર્ગત માર્ગદર્શન આપી વિકાસ લક્ષી કાર્યમાં વેગ આપવામાં તેઓનો પણ સિંહફાળો છે જ્યારે તેઓ પણ સરપંચ હતા તે વખતે પણ વાંકાનેરના વલાસણ ગામે આઝાદી બાદ પ્રથમ વખત પાણીનો પ્રશ્ન હળવો કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી અને સૌનો સાથ સૌનો વિકાસ તેવા હેતુસર સિમેન્ટ રોડ ભૂગર્ભ ગટર સહિત કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના કબ્રસ્તાન સ્મશાન આખરી મંઝિલ ના કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યા હતા
વાંકાનેર પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રજાહિત કાર્ય માટે કારોબારી સભ્ય તરીકે ભાજપના ઈસ્માઈલભાઈ કડીવાર નાતજાતના ભેદભાવ રાખ્યા પ્રજાલક્ષી કાર્યમાં સફળ રહ્યા છે હાલ વાંકાનેરના છેવાડાનું ગામ વાલાસણ માં વિકાસ લક્ષી કાર્ય માટે પ્રજા એક પ્રશ્નો ને ધ્યાને રાખી વિકાસ લક્ષી કાર્ય માં પોતાની યથાશક્તિ પ્રમાણે સહયોગ આપી રહ્યા છે તેમ વાંકાનેર તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ ઈસ્માઈલભાઈ કડીવાર ના પત્ની નુરજા બેન એ ટૂંકી મુલાકાત માં જાણવા મળ્યું હતું
