મોરબી : મોરબીમાં કોરોનાના સમય દરમિયાન નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર જિલ્લા પંચાયતના ચેરમેન અને સેવાભાવી યુવાન અજય લોરીયાનું રાજપૂત કરણી સેના દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અજયભાઇ લોરીયા કોરોનામાં દર્દીઓની વ્હારે આવવા ઉપરાંત દેશ માટે શહીદ થનારા જવાનોના પરિવારોની સેવા માટે પણ આગળ આવ્યા હતા. તેઓએ અત્યાર સુધીના સેંકડોની સહાય એકત્ર કરીને શહીદોના પરિવારને રૂબરૂ જઈને અર્પણ કરી છે
