શરદ એમ.રાવલ.. હડિયાણા..
જામનગર ડેપો ના ડ્રાઇવર શ્રી હરપાલસિંહ એ. જાડેજા એ નોકરી માં 1998 જામનગર ડેપોમાં સતત એક જ જગ્યાએ 23 વર્ષ સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ વગર ફરજ બજાવી હતી. અને હાલમાં નિવૃત્તિ ને હજુ બે વર્ષ બાકી છે. પણ શારીરિક સ્વાસ્થ્ય ને લઈને ઓફિશિયલી જામનગર ડેપો મેનેજર સાહેબ શ્રી દ્વારા લેખિતમાં લેટર આપવામાં આવેલ છે. જેના અનુસંધાને સ્વૈઇચ્છીક નિવૃત્તિ સ્વીકારતા એસ.ટી.મઝદુર સંઘ જામનગર વિભાગ ના મહામંત્રી સંજયભાઈ ડોડીયા,આગેવાન નારણભાઈ વાળાભાઈ,દિગુભા પરમાર નિવૃત કર્મચારી સોલંકીભાઈ. જેઠાલાલ મેઘાણી. તેમજ પત્રકાર શરદભાઈ રાવલ અને એસ.ટી ના બીજા કામદારો દ્વારા હરપાલસિંહ ને સાલ ઓઢાળી અને પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી વિદાય આપેલ હતી…..
