લલીત નીમાવત
જોડીયા – તા.17/09 ના રોજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ ના આદેશથી સમગ્ર રાજ્યમા કાનુની શીક્ષણ શીબીરો કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે તે અંતર્ગત જોડીયા તાલુકા કાનુની સેવા સમિતી ના અધ્યક્ષ કુ.સુદેશ ગીલ સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠડ જોડીયા ના લીગલ એઇડ ના પેનલ એડવોકેટશ્રી તથા પી.એલ.વી. દ્વારા જોડીયા તાલુકા ના ગામો જેમા જોડીયા લક્ષ્મીપરા વિસ્તાર, કુનડ, બાદનપર, ભાદરા તથા કેેશીયા ગામે જનજાગૃતી અને કાનુની શિક્ષણ શીબીરો નુ આયોજન કરવામા આવેલ હતુ જે જેમા પેનલ એડવોકેટ તથા જોડીયા બાર ના પ્રમુખશ્રી વી.એસ.માનસાતા તથા સેક્રેટરીશ્રી એ.પી.માંકડ ની વિશેષ ઉપસ્થતીમા વર્તમાન રીટેઇનર એડવોકેટ જયદીપભાઇ માંકડ તથા વકીલમીત્રો રાજેશભાઇ પંડ્યા, દિનેશભાઇ ભીમાણી, જીતુભાઇ પરમાર તથા પી.એલ.વી. ઓ હાજર રહેલ હતા. સદરહુ શીબીરમા જોડીયા લીગલ એઇડના સેક્રેટરી ભાર્ગવભાઇ નકુમ હાજર રહેલ હતા.
