*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
ઉના શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉના નગરપાલિકા ભવન ખાતે પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નાં માર્ગદર્શન હેઠળ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી નાં જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મંત્રી રાજુભાઈ ડાભી ઉના શહેર ભાજપા નાં પ્રમુખ મિતેશભાઇ શાહ મહામંત્રી સુનિલભાઈ કાંતિભાઈ છગ યુવા ભાજપાનાં પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા તથા નગર પાલિકાનાં નગરસેવકો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ના જન્મદિવસ નિમીત્તે પુષ્પાંજલિ અર્પણ કરી બુથ વાઈઝ જઈ કાર્યકરો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
