*રિપોર્ટર સબીર ભાઈ સેલોત કોડીનાર*
વિકાસના સ્વપ્નદ્રષ્ટા અને he ભારત દેશના વડાપ્રધાન અને સેવા સમર્પણના પ્રતીક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 71માં જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર તેમજ ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તેમજ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ઓઝા નાં માર્ગદર્શન હેઠળ આજરોજ ઉના ભાવનગર રોડ રોકડીયા હનુમાન મંદિર પાસે રાહદારીઓ અને વાહન ચાલકો ને વિનામૂલ્યે માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી સંજયભાઈ બાંભણીયા ની આગેવાની હેઠળ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ મહામંત્રી શ્રી મયુરસિંહ ગોહિલ ઉના તાલુકા મહામંત્રી વિજાભાઈ સોચા મહામંત્રી શ્રી રાવતસિંહ ,દિપકભાઈ શિયાળ નેસડા ગામનાં સરપંચ જુવાનસિંહ, યસવંતભાઈ બાંભણીયા, વિનુભાઈ, વિજયભાઈ સોલંકી ઉના તાલુકા યુવા મોરચા આઇટી સેલના ધીરજ બારૈયા તેમજ તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી નિઃશુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
