*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
કોડીનાર તાલુકા માં આયુષ્યમાન કાર્ડની કામગીરી ચાલી રહી છે જે કાર્ડ કઢાવવા માટે તાલુકા વિકાસ અધિકારી ઓનો આવકનો દાખલો માન્ય રાખવામાં આવે છે જેના લીધે ગામડાઓમાં લોકો ને બે ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા પડે છે અને સોગંદનામું પણ કરવું પડે છે જે પહેલા તલાટી આવકના દાખલા આયુષ્યમાન કાર્ડ કાઢવા માન્ય રાખવામાં આવે તો લોકોને સમય અને નાણાનો વ્યય અટકી શકે તેમ છે એથી તલાટીના આવકનો દાખલો માન્ય રાખવા મુસ્લિમ એકતા મંચના તાલુકા પ્રમુખ સબીરભાઈ સેલોત દ્વારા માંગ કરવામાં આવી હતી
થોડા દિવસોમાં ઘાટવડ ગામ માં આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ રાખવામાં આવશે જેમાં આવકનો દાખલો ખૂબ જરૂરી હોય તો તાલુકા પંચાયતની જગ્યાએ ગ્રામ પંચાયત દાખલો ચલાવી લેવા સબીર ભાઈ એ માંગણી કરી છે
