

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપણા દેશના કલ્પેશ ભાઈ આહીર જે આર્મીમાંથી ૧૭ વર્ષ બાદ રિટાયર્ડ થઈને તેમના નિવાસસ્થાને પરત જઇ રહ્યા હતા ત્યારે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ છત્રપતિ શિવાજીના ફૂલહાર કરીને કલ્પેશભાઈ આહીર નું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલ્પેશ ભાઈ આહીર એક આપણા દેશના ફોજી તરીકે છત્રપતિ શિવાજી મહારાજને ફુલ હા કરીને વધાવવામાં આવ્યા હતા જેમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના અધિકારી ભાઈ હાજર રહ્યા હતા એવું એક પ્રેસ યાદી માં કે.બી બોરીચા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ એ જણાવ્યું છે.
