માળીયા મિંયાણા તાલુકાની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષણ ની સાથે સાથે સાંસ્કૃતિક બાબતો નું શિક્ષણ પણ આપવામાં આવે છે અને તે શિક્ષણ થી બાળકો માં આપણી ભવ્ય સંસ્કૃતિ ને યાદ કરાવી અને ભુલાતી પરંપરાઓ ને ફરી થી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે
આપણી ભવ્ય સંસ્કૃતિ ની સભ્યતા ને યાદ કરતો અને બાળકો ને સામાજિક વિજ્ઞાન માં ઉપયોગી એવો મુદ્દો એટલે વિવિધતામાં એકતા મુદ્દા સાથે બાળકો ને ઝડપી થી યાદ રહે તે માટે એક વેશભૂષા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામાજિક વિજ્ઞાન ના શિક્ષક નું માનવું છે કે બાળકો સામાજિક વિજ્ઞાન માં વાંચવા કરતાં જોઈ ને અને સાંભળીને વધુ યાદ રાખી શકે છે તો આ વેશભુષા પણ એનો જ એક શિક્ષણ ને લગતો ભાગ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન રિશેસ ના સમય માં જ કરવામાં આવે છે જેથી બાળકો વધુ સરળ રીતે સમજી શકે
