
સમગ્ર જીવન ભકિત, સેવા અને સત્કાર્યોમાં જ સક્રિય રહેનાર ડીસાનાં ભાનુમતીબેન નાથાલાલ ખત્રીનું વ્રજભૂમિ સમાન ટેટોડાની ગૌશાળામાં હાર્ટએટેકથી નિધન થતાં ઉંડા આઘાત અને શોકની લાગણી પ્રસરી હતી.
જાણીતા ચિત્રકાર, લેખક, નિવૃત શિક્ષક નાથાલાલ ખત્રી ડીસામાં એક આગવો ચાહક વર્ગ ધરાવે છે તો તેમનો દીકરો જીગ્નેશકુમાર પણ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે.સમગ્ર પરિવાર ખૂબ જ માયાળુ, મળતાવડું, લાગણીશીલ, સરળ તેમજ ભકિતમય હોવાને લીધે સદગત ભાનુબેનની અંતિમયાત્રામાં તમામ સમાજ-સંસ્થાઓના અસંખ્ય લોકો જોડાયા હતા.
શાંતિધામ સ્મશાન ભૂમિ ખાતે સદગત ભાનુબેનને શ્રધ્ધાંજલી અર્પણ કરવા યોજાયેલ પ્રાર્થનાસભામાં સર્વ ડો.નવીનકાકા,ભગવાનભાઈ બંધુ,ડો.અજયભાઈ જોષી,ડો.એસ.ટી.કોટક,જયંતિભાઈ ઓઢાવાળા,નટુભાઈ વ્યાસ, પી.વી.રાજગોર સહિત સૌએ સદગતના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.હનુમાન ચાલીસા,શાંતિમંત્ર,રામ સ્તુતિ તેમજ મૌન પાળીને પણ સદગત આત્માની ચિરશાંતિ માટે દિવ્ય પ્રાર્થના કરાઈ હતી.સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી નાથાલાલ ખત્રી તેમજ જીગ્નેશભાઈ ખત્રી વ્યક્ત કરી હતી.
