શરદ એમ.રાવલ. હડિયાણા…

આજ રોજ જોડિયા તાલુકાના લખતર ગામેથી વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઇ દલસાનિયા દ્વારા સ્વાગત કરીને ઝંડી આપીને જોડિયા તાલુકાના પીઠડ ગામ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. આ તકે જોડિયા તા.પ.કચેરીમાંથી વિનોદભાઈ ચૌહાણ. ગિરધરભાઇ ગઢિયા. મનીસભાઈ સોરઠીયા. વિસ્તરણ અધિકારી અને શાંતીલાલ પરમાર ગ્રામ સેવક.વિપુલભાઈ પનારા તલાટી કમ.મંત્રી.લખતર અને
આરોગ્ય સ્ટાફ મિતેસભાઈ.. ભાવનાબેન અને કિરણબેન ગ્રામજનો તેમજ વહીવટી તંત્રના અધિકારી કર્મચારી હાજર રહેલા હતા….

