
મોરબી તા,૩૧ શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેમના આત્મા ને શાંતિ મળે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તા.૩૧/૧૦/૨૦૨૨ ને સોમવાર ના રોજ સાંજ ના સાત વાગ્યે કેન્ડલ માર્ચ યોજેલ . આ કેન્ડલ માર્ચ ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં મોરબી ના નગરજનો વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી. મોરબી કોંગ્રેસ આગેવાનો, હોદેદારો તથા કાર્યકર ભાઇઓ બહેનો અને મોરબી ના લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં હાજર રહી મૃતાત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી .
તારીખ : ૩૧/૧૦/૨૦૨૨ સોમવાર
સમય .સાંજે ૭ : ૦૦ કલાકે
સ્થળ : નહેરુ ગેટ ચોક,
મોરબી
જયંતિભાઈ જે પટેલ
પ્રમુખ
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ
