
મોરબી માં શ્રી પંચેશ્વર મહાદેવ નો શ્રાવણમાસ નો ભંડારો સંતો મહંતો ની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાયો
ધર્મસભા મહાઆરતી મહાપ્રસાદ સહિત કાર્યક્રમો યોજાયા
મોરબી માં વીસી ફાટક પાસે મામલતદાર કચેરી ની સામે આવેલ શ્રી પંચેશ્વર મહાદેવ મંદિરે મહંત શ્રી ગોસ્વામી માહિપતપુરી શાંતુપુરી ની આગેવાની માં શ્રાવણમાસ નો ભંડારો સંતો મહંતો સમાજ ના આગેવાનો ને અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં યોજાયો હતો જેમાં ધર્મસભા યોજાયી હતી જેમાં રામધન આશ્રમ મહંત શ્રી ભાવેશ્વરીબેન શ્રી શાંતિવન આશ્રમ ના મહંત શ્રી કનીબેન મોરબી દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ ગુલાબગીરી,પૂર્વપ્રમુખ દેવગીરીબાપુ,શ્રી સતેશ્વર મહાદેવ મંદિર મહંત પ્રવિણગીરી,તથા ભૈરવગીરી સહિત સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા ભંડારા ના સુંદર આયોજન બદલ મહંત શ્રી માહિપતપુરીબાપુનું સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું મહંત માહિપતપુરી એ સર્વ સંતો ને આગેવાનો નું સન્માન કર્યું હતું આ પ્રસંગે મોરબી જિલ્લા શિવસેના ના પ્રમુખ દિગુભા ઝાલા, સહિત મોરબી ના વિવિધ સમાજ ના આગેવાનો સંસ્થાના આગેવાનો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ભંડાર માં ધર્મસભા મહાઆરતી મહાપ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાયા હતા જેમાં શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર મિત્ર મંડળ એ સેવા આપી હતી.
આ ભંડારા પ્રસંગમા બહૉળી સંખ્યા મા ભક્તો એ મહાપ્રસાદ નૉ લાભ લઈ ધન્યતા અનુભવી હતી

