
મોરબીના માધાપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પૂજીત અક્ષત કળશનું જાજરમાન સ્વાગત
હાલ સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે મોરબીમાં પણ આગામી 22,જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી જોવા મળી રહી છે. વર્ષોની પ્રતિક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થયું છે, ત્યારે અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનું જડેશ્વર મંદિર, માધાપર ગામ, સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી, અંબિકા રોડ અને જુની રેલવે કોલોની વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ભવ્યાતિભવ્ય ઢોલ ત્રાસા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં બાળાઓ દ્વારા સામૈયું પણ કરવામાં આવ્યું હતું. અક્ષત કળશને પોતાના માથા પર ઉપાડીને સ્થાનિકોએ ધન્યતા અનુભવી હતી. સ્થાનિક મંદિરોમાં મહાઆરતી રાખવામાં આવી હતી.



