
મોરબી તા ૯ : મોરબી સિરામિક એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને વીન્ટેલ ગ્રુપના પથદર્શક શ્રી કે.જી.કુંડારિયા સાહેબ નું ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમા પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું જે ખરેખર મોરબીના ગૌરવ સમુ છે
રાજકોટ ખાતે સરદારધામ દ્વારા ચાર દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનું આયોજન કરાયું છે જેમાં મોરબીના વિન્ટેલ સીરેમીક પ્રાઇવેટ લિમિટેડ ગ્રુપના વડા કે. જી. કુંડારીયા નું સરદારધામ દ્વારા પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ આપી જીપીબીએસ-૨૦૨૪માં બહુમાન કરવામાં આવ્યું હતું
