
ટંકારા: ટંકારા લોહાણા સમાજે સમગ્ર સમાજને આપ શબ્દો બોલી સમગ્ર જ્ઞાતિનું અપમાન કરી, પ્રતિષ્ઠા ને હાની પહોંચાડનારાઓ સામે પગલા ભરવા ની માંગણી કરેલ છે.
બનાવની વિગતમાં જામનગર ખાતે આવેલ રાજલક્ષ્મી કેક એન્ડ બેકરી વાળા મનુભાઈ ખેતવાણી તથા હર્ષ મનુભાઈ ખેતવાણીને પોરબંદરના અનુગ્રહ બેકરીવાળા તન્મયભાઇ કારીયા સાથે ધંધાકીય લેતીના સંબંધો હતા.
આ લેતી દેતી ની વાતચીતમાંતન્મયભાઇ કારીયા ને કંઈ જ્ઞાતિના છો, અપ શબ્દો બોલી લોહાણા સમાજનું અપમાન કરી ,પ્રતિષ્ઠાને હાની પહોંચાડેલ .આ અંગેનો વિડીયો પણ વાયરલ થયેલ છે .
આ બનાવથી ટંકારા લોહાણા સમાજની લાગણી દુભાયેલ છે. ટંકારા વેપારી મંડળના પ્રમુખ હસમુખભાઈ કટારીયા ,ભાવિનભાઈ સેજપાલ,ગોપાલભાઈ કટારીયા, અક્ષર કટારીયા, પ્રશાંતભાઈ, મનીષભાઈ ભમ્મર વીગેરે એ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરેલ છે.
