
શ્રી રામધામ જાલીડા ખાતે યોજાનાર 108 કુંડી મહાયજ્ઞ ની જલયાત્રામાં જોડાવવા બહોળી સંખ્યામાં ટંકારા થી લોહાણા સમાજના આગેવાનો રવાના
(*નૈમિષ સેજપાલ ટંકારા*)
સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા ખાતે ત્રિદીવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે જે અંતર્ગત ૧૦૮ કુંડી શ્રી રામયજ્ઞ યોજાનાર હોય, તેની ભવ્ય તેમજ દીવ્ય જલયાત્રા વાંકાનેર ખાતેથી પ્રસ્થાન કરશે. તે જલયાત્રા માં જોડાવવા ટંકારા લોહાણા મહાજન ના ટ્રસ્ટી શ્રી શશીકાંતભાઈ સેજપાલ ,પ્રદીપભાઈ ભગદેવ ,રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષયભાઈ કટારીયા ,પ્રશાંતભાઈ સેજપાલ અને મહિલા આગેવાન ચાર્મી બેન સેજપાલ ની આગેવાનીમાં ફુલીયા હનુમાનજી મંદિર – ટંકારા થી બહોળી સંખ્યામાં રવાના થયા હતા

