
*માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર ના ગામો ખાતે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરી ઉજવણી કરવામાં આવી..*
દર વર્ષે ૨૫ એપ્રિલ ના રોજ વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.જેનો હેતુ મેલેરિયા રોગના અસરકારક નિયત્રંણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે…જે અંતર્ગત માળિયા તાલુકા માં આજ રોજ તા.૨૫/૦૪/૨૦૨૫ ના મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.શ્રીવાસ્તવ સાહેબ, જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડો. કારોલીયા સાહેબ ની સૂચના તેમજ માળિયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.બાવરવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકા ના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ના ગામો માં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી તેમજ મેલેરિયા અટકાયતી પગલાં અને વિવિધ પ્રકારની આઈ.ઇ.સી.હાથ ધરવામાં આવી જેવી મે પોરા નાશક કામગીરી,પોરા નિદર્શન, ગપ્પી માછલી નું પ્રદર્શન,સ્કૂલ માં.ચિત્ર સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા,ગ્રામ્ય કક્ષાએ તેમજ સ્કૂલ માં.રેલી કાઢી જનજાગૃતિ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હતી




