
જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળાના એસ.એમ.સી.ના અધ્યક્ષ પરમાર રાકેશભાઈ જગદીશભાઈનો આજે જન્મદિવસ હોય તેઓએ સમાજને નવી રાહ ચીંધતો, દીવાદાંડી સ્વરૂપે દાખલો બેસાડી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જે અનુસાર તેઓ આજે શ્રી હડિયાણા કન્યા શાળાની તમામ વિદ્યાર્થીની બહેનોને સેનેટાઈઝર, માસ્ક અને ચોકલેટનું વિતરણ કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ઉપરાંત તેઓએ શાળાના દરેક વર્ગખંડમાં એક એક દિવાલ ઘડિયાળ પણ આપેલ છે.શ્રી હડિયાણા કન્યા શાળા પરિવાર વતી આચાર્યશ્રી અરવિંદભાઈ મકવાણા દ્વારા રાકેશભાઈને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ તથા આભાર વ્યક્ત કરેલ….

શરદ એમ.રાવલ.હડિયાણા.
8160670219
