મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આદર્શ નિવાસી શાળા ખાતે કાર્યરત યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રૂપિયા 50 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે.
મોરબીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે સેવા ભાવિ સંસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આદર્શ નિવાસી શાળા ખાતે 100 બેડની સુવિધા સાથે કોરોનાના માઈલ્ડ દર્દીઓ તેમજ ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે અને નિઃસ્વાર્થ ભાવે દર્દી દેવો ભવ:ના સૂત્રને સાર્થક કરી કોરોના પેશન્ટની સારવાર સુશ્રુષા કરવામાં આવતા અહીંથી અનેક દર્દીઓ સાજા નરવા થઈ હસતા મોઢે ઘેર પરત ફર્યા છે ત્યારે મોરબીના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રૂપિયા 50 હજારનું અનુદાન આપી યંગ ઇન્ડિયા ગ્રુપના સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
