
બનાસકાંઠા જીલ્લાના છેવાડાના તાલુકા કાંકરેજના હ્દયસમા થરા નગરમાં ધર્મની ધજાને અવિરત ફરતી રાખી સેવાની સુગંધને ચોમેર પ્રસરાવનાર જલારામ મંદિરની માનવતાવાદી પ્રવૃતિઓથી સમગ્ર પંથકમાં રાજીપો જોવા મળે છે.દાતાઓ પણ ખૂબ જ ઉદાર દિલે દાન આપી રહ્યા છે.તાજેતરમાં જ થરાના ખૂબ જ પૂન્યશાળી સદગત જયરામભાઈ ઈચ્છારામભાઈ ઠકકર/કોટકની પ્રથમ વાર્ષિક પૂન્યતિથિ નિમિતે તેમના સુપુત્રો નિરંજનભાઈ અને વિજયભાઈએ અન્નક્ષેત્રના નિભાવ ફંડ પેટે રુપિયા 101000(એક લાખ એક હજાર) અને નિયમિત ચાલતી ટિફિન સેવા -તિથિ ભોજન પેટે રુપિયા 7100(એકોતેરસો) આપી ધન્યતા અનુભવી હતી..
આ દિવ્ય અવસરે જલારામ સેવકો સર્વ અચરતભાઈ ઠકકર,વિજયભાઈ ટેસ્ટીવાળા,કનુભાઈ બી આચાર્ય,નિરંજનભાઈ એ ઠકકર સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી દાતા સહયોગીઓનો આભાર વ્યકત કર્યો હતો..
જલારામ મંદિર થરાનો અતિ સુચારૂ વહીવટ અને માનવતાવાદી સેવાકીય પ્રવૃતિઓથી સૌ દાતાઓ પણ સંતોષની લાગણી વ્યકત કરી રહેલ છે.કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ થરા જલારામ મંદિર દ્રારા નિયમિત ભોજન ભંડારો ચાલુ રહેતાં અનેક જરૂરિયાતમંદોને મોટી રાહત થઈ હતી..
