• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માતા ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતો શક્ત શનાળા નો બાવરવા પરિવાર*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોર તેમજ સાંજે સદાવ્રત ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના શક્ત શનાળા ગામ ના વતની શ્રી પ્રેમજીભાઈ આંબાભાઈ બાવરવા દ્વારા તેમના માતુશ્રી ની નવમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમજીભાઈ આંબાભાઈ બાવરવા ની માતુશ્રી સ્વ. હરખીબેન આંબાભાઈ બાવરવા નુ નિધન આજ થી નવ વર્ષ પહેલા થયુ હતુ. તેઓ ખુબ દયાળુ, માયાળુ, ધાર્મિક તથા મિલનસાર સ્વભાવ ના હતા. ત્યારે તેમની પૂણ્યતિથી નિમિતે સત્કાર્ય કરી તેમના પરિવારજનો એ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, હરીશભાઈ રાજા, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હિતેશ જાની, હસુભાઈ પંડીત, અનિલ સોમૈયા સહીતનાઓ એ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*વાંકાનેર ના ઢુવા થી મકનસર સુધી ટ્રાફિક જામ ટ્રાફિક સેન્સનો અભાવ પોલીસ તંત્ર ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત વાહનચાલકો પરેશાન!*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે આજે એક મીટીંગ યોજાઇ*

editor

*HELLO MORBI: મોરબી શહેરમાં વધુમા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ*

editor

Leave a Comment