
*મોરબી ની અરિહંત સોસાયટી માં સાર્વજનિક જગ્યા પર થયેલ બાંધકામ ને લયને સ્થાનિક રહીશોમાં આક્રોશ*
ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જમીન માફિયાઓ સામે કડક કાયદાઓનો અમલ અંતર્ગત
લેન્ડ ગ્રેબિંગ નો પરિપત્ર કરવામાં આવ્યો છે જેથી જમીન ભૂમાફિયાઓ માં ફફડાટ વ્યાપી ગયો છે છતાં ઘણા બધા શહેર-જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકારની જમીન કે સાર્વજનિક જમીન પર જમીન ભૂમાફિયાઓ ની જાણે બાજ નજર રહેતી હોય તે રીતે સરકારની જમીન કે ખરાબા ગોચર ની જમીન કે સાર્વજનિક જમીનો પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરતા અટકવાનું નામ જ લેતા હોય તેવા બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે એવું જ કાંઈક મોરબી ખાતે મોરબી નગરપાલિકાની હદમાં આવેલા સનાળા મેઇન રોડ પર આવેલ જી.આઇ.ડી.સી સામેના અંકુર પ્રોવિઝન સ્ટોર ની બાજુમાં આવેલી અરિહંત સોસાયટી માં સાર્વજનિક જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી લેતા સ્થાનિક લોકોએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે અરિહંત તમામ વ્યકિતઓ મોરબી નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ શનાળા મેઈન રોડ, જી.આઈ.ડી.સી.સામે, અંકુર પ્રોવિઝન સ્ટોર ની બાજુ માં, અરિહંત સોસાયટી માં બંધ શેરી આવેલ છે, જે સોસાયટી માં સ્થાનિક તમામ વ્યકિત ઓ ને હાલકી નો ભોગ બનવા જેવી પરિસ્થિતિ હાલ જન્મી છે જે ભવિષ્યમાં સ્થાનિક લોકો માટે કાયમી શિરદર્દ સમાન બને તે પહેલા સરકાર દ્વારા સરકારની સાર્વજનિક જગ્યા પર થયેલા ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી કાયદા તોડ સામે કાયદાનું કડક પાલન કરવું અને સરકારી પરિપત્રનો અમલ સમયસર થાય તેવી આશાઓ સાથે લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે નોંધનીય છે કે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રજાહિત કાર્યમાં અને સરકારની જમીન પર જમીન માફિયાઓ સામે કાયદાનું કાયદાનું શાસ્ત્ર ઉઠાવવામાં પાછીપાની કરતા નથી એવી આશાઓ સાથે એકતા ભાઈ ચારાથી રહેતા
સોસાયટી માં તમામ વ્યકિત વચ્ચે ખુબજ સારો સુમેળ હોય અને કોંટુબીક એકતા ની ભાવનાઓ સાથે રહી છે. જેથી તમામ સોસાયટીના વ્યકિતો ઓ વેપાર-ધંધા, સરકારી, અર્ધ સરકારી નોકરી ઓ સાથે સંકડાયેલ છે.
પરંતુ ઉપર જણાવ્યા મુજબ ની અરિહંત સોસાયટી માં આવેલ ‘બંસીધર’ પ્લોટ નંબર :-૩-સી ના માલીક રજનીકાંતભાઈ ગોવિંદભાઈ પટેલ એ આ સોસાયટી ની શાંતી અને સાલામતી ની બાબતો માં અડચણો ઉભી કરેલ હોય, સોસાયટી ના વ્યકિત સાથે સુમેળતા થી કે કોટુંબીક સદભાવના થી રહેતા જ નથી, સોસાયટી ને અડચણ રૂપ થાય તેવા અનેક વખત કાર્ય કરેલ છે. જેથી આવા જમીન માફિયાઓ સામે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સરકારી ધારાધોરણ ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે કાયદાનું શાસ્ત્ર સજાવી સાર્વજનિક જગ્યા ને ખુલ્લી કરાવશે તેવી આશા સોસાયટીના સ્થાનિક અરજદારોમાં જન્મી
