પ્રતિ, તા. ૧૨/૦૧/૨૦૨૨.
મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ,
ગુજરાત રાજ્ય,
નવા સચિવાલય,
ગાંધીનગર.
વિષય – મોરબી નગર પાલિકા વિસ્તાર માં આવતો મહેન્દ્રપરાં મેઈન રોડ માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરી જવાબદારો સામે પાગલ લેવા બાબત.
મહેરબાન સાહેબ શ્રી
જયભારત શાથ ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે મોરબી નગર પાલિકા વિસ્તાર માં આવતા મહેન્દ્રપરા નો મેઈનરોડ નું કામ થોડા સમય પહેલા કરવામાં આવેલ હતું.
આ રોડ બનાવા બાદ ખુબજ ટુકા સમય માં તૂટી જવા પામેલ છે. આ નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતો. આ રોડ માં જનતા ના ટેક્સ ના પૈસા ખર્ચી ને બનાવવા માં આવેલ હતો. પરંતુ ભ્રષ્ટાચારી લોકો દ્વારા કરેલ મોટા ભ્રષ્ટાચારના કારણે કામ નબળું થવા થી આ રોડ તૂટી જવા પામેલ છે.
અમારી માંગણી છે કે આ રોડ નવેસર થી બનાવવો તેમજ આ કામના જવાબદારો સામે કાયદેશર ની તપાસ કરાવીને ને કસુવારો સામે યોગ્ય કાયદેસર ના પગલા લેવા વિનતી.
જો આવું કરવામાં નહિ આવો તે અમારે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી.
આપના સ્નેહાધીન
(કાન્તિલાલ ડી. બાવરવા)
જનરલ સેક્રેટરી
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન
નકલ સાદર રવાના :-
(1) પ્રતિ શ્રી સુખરામભાઈ રાઠવા સાહેબ , નેતા શ્રી પ્રતિ પક્ષ ગુજરાત વિધાનસભા નવા સચિવાલય ગાંધી નગર તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી.
(2) પ્રતિ માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ ,પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
રાજીવ ગાંધી ભવન , એલિશબ્રીજ અમદાવાદ , તરફ જાણ તેમજ યોગ્ય રજૂઆત કરવા વિનંતી સહ.
(3) પ્રતિ કલેક્ટર શ્રી મોરબી જિલ્લા મોરબી તરફ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા તેમજ યોગ્ય
ભલામણ સાથે અમારી રજૂઆત ઉપર મોકલી આપવા વિનંતી.
