*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આજરોજ ખૂબ જ બહોળી સંખ્યામાં સંખ્યામાં એસી.એસ.ટી. સમાજના લોકો દ્વારા એક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જાણવા મળતી માહિતી અનુસાર એસ.સી એસ.ટી સમાજના અવાજ બનેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ને ભાજપ સરકાર દ્વારા તાનાશાહી ચલાવી અને આસામ પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરી હતી. આના અનુસંધાને કોડીનાર ખાતે આવેલ મામલતદાર કચેરીએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદના ઉલ્લેખ કરી અને ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીને ખોટી રીતે કેસ દાખલ થયેલ છે. અને આ સરકાર દ્વારા ખોટા અત્યાચાર કરવામાં આવે છે. અને આવા અત્યાચારો કોઈપણ વ્યક્તિ ઉપરના થાયએ એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહકન્વીનર મહેશભાઇ મકવાણા, જિલ્લા પંચાયતના સદસ્ય અરશીભાઈ ચાવડા, ભીમ સેના કોડીનાર પ્રમુખ વિજયભાઈ વાઢેળ, આઝાદ ગ્રુપ કોડીનાર ના સહ કન્વીનર કુલદીપ વાઢેળ, ભીમ આર્મી પ્રમુખ મનોજભાઈ વાઢેળ, કોડીનાર નગરપાલિકા સદસ્ય ભરતભાઇ કાતીરા તેમજ અન્ય કાર્યકર્તાઓ ગિરીશભાઈ વાઢેળ, વિજયભાઇ રાઠોડ, કેતન વાઢેળ, બાલુભાઇ વાઢેળ, વિશાલ વાઢેળ ની કોડીનાર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી..