શરદ એમ.રાવલ.હડિયાણા..


જોડિયા ગામે આગામી ચેત્ર વદ..7 ને તા.23 થી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયન કથા શરૂઆત થઈ છે. અને ચેત્ર વદ..14.તા.29.04.22 ના રોજ કથા ની પૂર્ણાહુતિ થશે…
જોડિયા ખાતે સ્વ.છત્રસિંહ માલજી રાઠોડ પરિવાર દ્વારા શ્રી ગિરિરાજસિંહ છત્રસિંહ રાઠોડ. તથા શ્રી દિગ્વિજયસિંહ ગિરિરાજસિંહ રાઠોડ. પરિવાર દ્વારા આગામી તા.23 થી તા.29 સુધી શ્રી મદ ભાગવત સપ્તાહ જ્ઞાનયન કથા. સ્થળ..ગીતા મંદિરની બાજુમાં. શ્રી નીલકંઠ મહાદેવ મંદિર (૧૭૫)વર્ષ જૂનું છે. અને બીજી વખત મંદિરનો જીનોધાર કરવામાં આવે છે.આ મંદિરના પૂજારી ધનરાજગર શભૂગર ગોસાઈ છેલ્લા (૫0)વર્ષ થી સેવા પૂજા કરે છે. કથા વ્યાસપીઠ પરથી કથા નું ઉદયભાઈ મહેન્દ્રભાઈ શાસ્ત્રી (જોડિયા વાળા) દ્વારા વિશિષ્ટ શેલીમાં સંગીતના સથવારે ભજન. કીર્તન. ધૂન અને શ્લોક ગાન સાથે કથા નું રસપાન કરાવશે.. દરરોજ ના કથા દરમ્યાન પાવનકારી પ્રસંગો મુજબ કાર્યક્રમો યોજવામાં આવેલ છે.જેમાં આજે શ્રી રામ જન્મ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..


