• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા શ્રી સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા અખાત્રીજના પર્વ નિમિત્તે તૃતીય સમૂહ લગ્ન યોજાયો*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા : શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા અખાત્રીજના પાવન દિવસે તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયેલ.આ સમૂહ લગ્નોત્સવ શ્રી દેવ કુંવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાયેલ. તેમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ. સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ હરબટીયાળી ખાતે યોજાયેલ તેમાં 63 યુગલો લગ્નગ્રંથિથી જોડાયેલ. સરદાર લેવા પાટીદાર સમાજ દ્વારા તમામ કન્યાઓને દાગીના, રસોડા સેટ, ફર્નિચર સહિતનો અમૂલ્ય કરિયાવર અપાયેલ.

બીજો સમૂહ લગ્નોત્સવ તારીખ 26 /11/ 2020 ગુરૂવારના રોજ તુલસી વિવાહના શુભ દિવસે યોજાયેલ. કોરોના કાળની સરકારની ગાઈડ લાઈન મુજબ એકજ જગ્યા ને બદલે કન્યાઓના ઘરેજ લગ્ન દિવસે યોજાયેલ. કન્યાઓના ઘરે એક જ સમયે મંડપ રોપણ , જાન આગમન હસ્તમેળાપ તથા ભોજન સમારંભ યોજાયેલ .સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા કન્યાઓને ચોરી મંડપ ના 5,000 તથા ભોજન સમારંભના 15000 રૂપિયા તથા કન્યાઓને સોના ચાંદીની વસ્તુ, ઈલેક્ટ્રીક ફર્નિચર રસોડા સેટ તથા ધાર્મિક પુસ્તકો સહિત 77 વસ્તુઓ કન્યાઓને તેમનાં ઘરે અપાયેલ. કમીટી મેમ્બર ના પ્રમુખ, સભ્યો એ દરેક લગ્ન સ્થળે ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપેલ.

તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 10 યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ. સોના-ચાંદીના દાગીના ,ધાર્મિક ગ્રંથો ,રસોડા સેટ ,ફર્નિચર સહિત ૬૭ આઈટમ ભેટમાં અપાયેલ.સમુહ લગ્નોત્સવ માં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા ના પ્રમુખ અશોકભાઈ પટેલ ,બેચરભાઈ ઢેઢી, લવજીભાઈ ઢેઢી, સંજયભાઈ ભાગિયા, હસમુખ ભાઈ દુબરીયા તથા કમિટી સભ્યો દ્વારા સુંદર આયોજન કરાયેલ. આ પ્રસંગે દાતાઓ નું સન્માન કરાયેલ.સમૂહ લગ્નોત્સવમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તથા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. (𝐀.𝐂.) હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: મોરબી જિલ્લામાં વાહન વેચાણમાં ધરખમ વધારો: માત્ર દસ દિવસમાં 𝟐𝟔𝟖𝟕 વાહનોનું વેચાણ!!!*

editor

*HELLO MORBI:નવયુગ ઍકેડેમી દ્વારા PSI/ કૉન્સ્ટેબલ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો*

editor

Leave a Comment