
આજરોજ તારીખ ૦૫/૦૫/૨૦૨૨ માળીયા તાલુકાની શ્રી કુંતાસી પ્રા શાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.સાથે એડયુટર એપ અને શિક્ષણ વિભાગ આયોજિત અલગ-અલગ ક્વિઝ અભિયાનમાં સમગ્ર ગુજરાતમાં ૧ થી ૫ માં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓ બસીયા વીણા,સોઢીયા પૂજા,સોઢા મિતલબાનું ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ ત્રણેય વિદ્યાર્થીનીઓને ડૉ મહેન્દ્રસિંહ જાડેજા સાહેબ દ્વારા શિલ્ડ તેમજ શ્રી બી કે ઝાલરીયા સાહેબ દ્વારા પાંચ-પાંચ હજારનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.આ તકે ગામનાં સરપંચ રમેશભાઈ,SMC અધ્યક્ષ જગદીશભાઈ,ઉપસરપંચ કૃષ્ણસિંહ,સામાજિક કાર્યકર ધ્વજવંદનસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.અંતે તમામ બાળકોને અલ્પાહાર કરાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.
