


“પ્રત્રકાર હશનશા દરવેશ એ પ્રજા હિત કર ફરિયાદ”
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે ઘરાર નગર વિસ્તાર માં આવેલ નવું નામ શિવાજી નગર શેરી નંબર નંબર 14 માં સમસ્યાઓની હારમાળા મતદાર પ્રજા માટે ગંભીર બની છે ત્યારે વિકાસની વાતો કરનાર નેતાઓ લાલપુર ધરાનગર વિસ્તાર માં આવેલ શિવાજી નગર શેરી નંબર 14 ની મુલાકાત કરે તો ખબર પડે કેવો ? વિકાસ !! ધરાનગર શિવાજી નગર શેરી નંબર 14 માં છેલ્લા એક અઠવાડિયા ની આજૂ બાજૂ ભૂગર્ભ ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે જેથી સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેજ વિસ્તાર શેરી નંબર 14 માં રહેતા સામાજિક કાર્યકર અને સૌરાષ્ટ્ર પ્રતિબિંબ તથા હસન બાપુ ઘરાવે છે હસનબાપુ દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ચૂંટાયેલા સભ્યોને અવારનવાર મૌખિક રાવ રજૂઆત કરેલ છે છતાં પરિણામમાં દિલાસા નો સંદેશો જ મળ્યો હોય તેમ સમગ્ર વિસ્તારની ઘટના તસવીરમાં દેખાય છે અત્રે નોંધનીય છે કે અગાઉની બોડીમાં સામાન્ય લોકો સામાન્ય ફરિયાદ કરતા તત્કાલ તે વખતના સરપંચ પ્રજા ચિંતન પ્રશ્ન અંતર્ગત તત્કાલ કાર્યવાહી કરતા હતા પરંતુ છેલ્લા એક સપ્તાહથી વિકાસ નું વાવાઝોડું સમગ્ર વોર્ડ નંબર 14માં આવેલા ધરાનગર માં ફરી વળતા વિકાસની વાતો કરનારા નેતાઓને એ વિસ્તારના મતદાર પ્રજા જાહેર આમંત્રણ પાઠવી ધરાનગર ની મુલાકાત અંગે ખરા અર્થમાં વિકાસ ની આશા વ્યકત કરી છે
