ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાના ઘાંટવડ ખાતે લઘુમતી સમાજ સહિતના વંચિત વર્ગોના હક અને પ્રતિનિધિત્વ બાબતે જનજાગૃતિ ચળવળ ચલાવવા માટેની રણનીતિ ઘડવા માટે મુસ્લીમ સમાજની અગ્રણી સામાજિક સંસ્થા મુસ્લીમ એકતા મંચનાં હોદ્દેદારોની મિટિંગ યોજાઇ હતી
આજ રોજ તા.16/05/2022 ને સોમવારના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ મુકામે મુસ્લિમ એકતા મંચ ના નેજા હેઠળ મુસ્લિમ એકતા મંચ અધ્યક્ષ ઇમ્તિયાઝભાઇ પઠાણની સુચના મુજબ મુજીબબાપુ કાદરીના અધ્યક્ષ સ્થાને મુસ્લિમ એકતા મંચની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં નવ નિયુક્ત જીલ્લા પ્રભારી આદિલભાઈ મલેક તેમજ જીલ્લા પ્રમુખ દિલાવરભાઇ પઠાણ ના નેત્રૃત્વ મા મિટિંગ રાખવામાં આવી આ મીટિંગમાં આવનાર દિવસોમાં રાજકોટ સૌરાષ્ટ્રના વિવિધ તાલુકા, જિલ્લા ખાતેથી એક હજાર જેટલા કાર્યકરો દરેક મથકોએથી મુસ્લીમ એકતા મંચનાં કન્વીનરોની હાજરી આપે. જેમાં આવનારા સમયમાં સમાજલક્ષી કામ કરવા તેમજ રાજકોટ મુકામે યોજાનાર મુસ્લીમ એકતા મંચનુ મહાસંમેલનમાં વધારે માં વધારે લોકો ઉપસ્થિત રહે તેવી આદિલભાઇ પ્રભારી તેમજ દિલાવરભાઇ પ્રમુખે હાજર રહેલા હોદેદારો માર્ગદર્શિત કર્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શબ્બીરભાઇ સેલોતે ઘાટવડ મુસ્લિમ એકતામંચ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી
છેલ્લે આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો
કાર્યક્રમનું સંચાલન મોઈનભાઈ મકરાણી તથા મુખ્તાર સર મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*
