શરદ એમ.રાવલ.. હડિયાણા…
બી.આર.સી. ભવન જોડિયા ખાતે તાલુકાના શિક્ષકોના બે દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ. જેમાં તાલુકાની તમામ શાળામાંથી શિક્ષકો ઉપસ્થિત રહેલ. બી.આર.સી. ભવન ખાતે તાલીમ હોલમાં પંખાની સુવિધા માટે સૌ શિક્ષકો અને તાલુકા સંઘના પ્રમુખશ્રી દ્વારા તાલીમ દરમિયાન મળતાં TADA માંથી 4 પંખા લાવી આજરોજ લગાવી ખરા અર્થમાં સરાહનીય કાર્યનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ દ્વારા તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો…..
