
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં લોકપ્રિય અને પ્રજાલક્ષી નાયબ મામલતદાર તરીકે ખૂબ જ સારી છાપ ધરાવતા અને ઉમદા ફરજ બજાવતા નાયબ મામલતદાર ભરતભાઈ પી.કાનાબારને તાજેતરમાં જ ગુજરાત સરકારે પ્રમોશન આપી મામલતદાર તરીકે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોસ્ટીંગ આપેલ છે.
સરકારી કામોમાં અનેક લોકોને સરળતા અને સહકારથી મદદરૂપ થનાર ભરતભાઈ પી.કાનાબારના પ્રમોશનથી સમગ્ર રઘુવંશી લોહાણા સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે.વિશ્વ લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી,ઉપપ્રમુખો ધર્મેશભાઈ હરિયાણી,જીતુભાઈ નાશિક, જીતુભાઈ લાલ, મંત્રીઓ હરીશભાઈ ઠકકર, ડો.સુરેશભાઈ પોપટ, ખજાનચી વસંતભાઈ અનારકટ, ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ ભગવાનભાઈ બંધુ સહિત સૌએ ભરતભાઈ પી.કાનાબાર ને મામલતદાર બનવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવેલ છે.
