
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન અને સમગ્ર પટેલ સમાજ ના વંદનીય આગેવાન શ્રી નરેશભાઈ પટેલ ના 57 માં જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 57 સ્થળ પર બ્લડ ડોનેશન કાર્યક્રમ ના ભાગ રુપે મોરબી જીલ્લા ના હરબટીયાળી ખાતે મોરબી જીલ્લા ખોડલધામ સમિતિ અને શ્રી સરદાર લેઉઆ પાટીદાર સમાજ ટંકારા નાં સયુકત ઉપક્રમે પટેલ સમાજ વાડી મા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યા માં લોકો એ રક્તદાન કરી ‘રક્તદાતા બનશે જીવનદાતા ‘ નું સુત્ર સાર્થક કરેલ.
આ કાર્યક્રમ નું સંકલન જીલ્લા ખોડલધામ કન્વિનર અતુલભાઈ ભાગીયા , સહ કન્વિનર બેચરભાઈ ઢેઢી,પર્વ જીલ્લા કન્વિનર કાનજીભાઈ ભાગીયા,સહ કન્વિનર મહેશભાઈ દુબરીયા તથા તાલુકા કન્વિનર વસંતભાઈ ચૌધરી એ કરેલ .
તેમજ જયસુખભાઇ સંઘાણી,ગણેશ ભાઈ નમેરા,દેવરાજ ભાઈ સંઘાણી,સંજયભાઈ ભાગીયા,નિલેશ પટણી, નાનજીભાઈ ડાકા, અશોકભાઈ સંઘાણી એ પણ સફળતા માટે યોગદાન આપેલ.
