રિપોર્ટર. શરદ એમ.રાવલ..
હડિયાણા…
શ્રી નેસડા પ્રા.શાળા તા.જોડિયા માં પુસ્તક યજ્ઞ કાર્યક્રમ યોજાયો.
આજ રોજ શ્રી નેસડા પ્રા.શાળા માં પુસ્તક યજ્ઞ ના દાતાઓ નું સન્માન અને વાલી મિટિંગ યોજવામાં આવી હતી.આજ ગુરુપૂર્ણિમા ના શુભ દિવસે.પુસ્તક યજ્ઞ ના દાતાઓ ડો.રાહુલ વશરામ ભાઈ લૈયા.દ્વારા 21000 નું દાન તથા11000 કનુભાઈ રાયધનભાઈ લૈયા તથા 5555 ,2500,1100, 500 જેવું દાન આપવામાં આવ્યું હતું.આ વિચાર વશરામભાઈ લૈયા એ શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા સાથે ચર્ચા કરી યોજના અમલમાં મૂકી હતી.જેમાં ગામના સરપંચ રાજુભાઇ મકવાણા,smc અધ્યક્ષ પન્નાલાલ સોલંકી તથા અન્ય ગામના આગેવાનો શિક્ષિત લોકો એ આ યજ્ઞ ને વધાવી લીધો હતો અને 1,33000 જેવી મહાકાય રકમ નું દાન એકત્ર થયેલ. આજ તમામ દાતાઓ નું પુસ્તક આપી સન્માન કરેલ .અને આ પુસ્તકાલય ગામના દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકે તેવી આચાર્ય દવારા જાહેરાત કરેલ.અને આ પુસ્તકાલય શાળાનું જ નહીં પરંતુ ગામનું પુસ્તકાલય બની રહે તેવા પ્રયત્ન કરવા જણાવેલ.મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.અને વિશેષ હડિયાના ના સી.આર.સી.કનુભાઈ જાટીયા ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય દવારા દરેક નો આભાર માનવામાં આવ્યો હતો……
