…..રિપોર્ટર..
શરદ એમ.રાવલ.
હડિયાણ…
આજ તા.31.07.2022 ના રવિવાર ના રોજ હડિયાણા ગામે ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો….
આ ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પમાં મૂળ હડિયાણા ગામના વતની અને હાલમાં મોરબી ખાતે તેમની હોસ્પિટલ ઘરાવે છે. તેવા ડો.વિજયભાઈ એલ.કાનાણી(MD સ્કીન)ચામડીના રોગ ના નિષ્ણાત ડોક્ટર છે. તેઓ મોરબી માં છેલ્લા 27 વર્ષ થી ચામડીના સર્વે રોગનું નિદાન અને સારવાર કરે છે. તેઓએ પોતાના વતન નું રૂણ ચૂકવવા માટે દર મહિના ના છેલ્લા રવિવારે સ્થળ. શ્રી ગોવાબાપાના મંદિરે હડિયાણા ખાતે રાખવા માં આવેલ છે. જેમાં આજે ફ્રી ચર્મરોગ(સ્કીન)નિદાન કેમ્પમાં આશરે 85 જેટલા ચામડીના રોગ ના દર્દીઓને સમયસર ફ્રિ ચેકઅપ કરી ને જરૂરિયાત મદ દર્દીઓને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી. અને હવે પછી ના આગળના કેમ્પ ની તા.26.06 અને 31.07 અને 28.08 અને 25.09 આ તારીખ ના રોજ ઉપર મુજબ ની જગ્યાએ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે તો. દરેક ચામડીના રોગ ના દર્દીઓને લાભ લેવા વિનંતી છે
