
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા હસ્તકના આરએસએસ ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે રૂ.5000ના ટોકન ભાડાથી આપવા અગાઉ મંજૂરી આપવામાં આવી હોવા છતાં આ ગ્રાઉન્ડ નહિ આપવામાં આવતા રાજકીય અગ્રણી જીતુ સોમણી લડી લેવાના મૂડમાં હોય તેમ વાંકાનેરના વહીવટીદારને રજુઆત કરી મેદાનની મંજુરી માટે અલટીમેટમ આપ્યુ છે. જો આરએસએસના મેદાન ધાર્મિક ઉત્સવો માટે નહિ આપવામાં આવેતો જીતુ સોમણી આંદોલન કરશે તેવી ચીમકી ઉચારી છે
વાંકાનેરના રાજકીય અગ્રણી જીતુ સોમાણીએ વહીવટીદારને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, જનરલ બોર્ડમાં ગ્રાઉન્ડ આપવામાં આવેલ છે જે અંગે નગરપાલિકા દ્વારા રકમ ભરવાની ખબર આપવામાં આવેલ નથી કે મંજૂરી નો પત્ર આપવામા આવેલ નથી, તા-૦૫-૦૮-૨૦૨૨ના રોજ રાજકોટ રિજ્યોનલ કમિશ્નરમાં ૨૫૮ મુજબ જે મુદત હતી તેમાં ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તથા નગરપાલિકા વાકાનેરના હેડ ક્લાર્ક દિપકસિંહ ઝાલાની હાજરીમાં આ ગ્રાઉન્ડની થયેલ ચર્ચા મુજબ કમિશ્નરે સુચના આપેલ કે ધાર્મિક કાર્ય હોઈ અને વર્ષોથી જે ઉત્સવ આ જગ્યા પર કરતા હોઈ તેને આ ગ્રાઉન્ડ ટોકન ભાડાથી આપવું તેવી સહમતી દર્શાવી હતી, જો ગુજરાત સરકાર જી એમ ડી.સી ગ્રાઉન્ડ હાર્દિક પટેલને વિશાળ ગ્રાઉન્ડ ટોકન ભાડે આપ્યું હતું અને એ પણ સરકાર સામેનું આદોલન હતું.
વાંકાનેરના વહીવટીદારને રજુઆત કરી મેદાનની મંજુરી માટે અલટીમેટમ આપ્યું
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા હસ્તકના આરએસએસ ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે રૂ.5000ના ટોકન ભાડાથી આપવા અગાઉ મંજૂરી આપવામાં આવી હોવા છતાં આ ગ્રાઉન્ડ નહિ આપવામાં આવતા રાજકીય અગ્રણી જીતુ સોમણી લડી લેવાના મૂડમાં હોય તેમ વાંકાનેરના વહીવટીદારને રજુઆત કરી મેદાનની મંજુરી માટે અલટીમેટમ આપ્યુ છે. જો આરએસએસના મેદાન ધાર્મિક ઉત્સવો માટે નહિ આપવામાં આવેતો જીતુ સોમણી આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.
વાંકાનેરના રાજકીય અગ્રણી જીતુ સોમાણીએ વહીવટીદારને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, જનરલ બોર્ડમાં ગ્રાઉન્ડ આપવામાં આવેલ છે જે અંગે નગરપાલિકા દ્વારા રકમ ભરવાની ખબર આપવામાં આવેલ નથી કે મંજૂરી નો પત્ર આપવામા આવેલ નથી, તા-૦૫-૦૮-૨૦૨૨ના રોજ રાજકોટ રિજ્યોનલ કમિશ્નરમાં ૨૫૮ મુજબ જે મુદત હતી તેમાં ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા,પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તથા નગરપાલિકા વાકાનેરના હેડ ક્લાર્ક દિપકસિંહ ઝાલાની હાજરીમાં આ ગ્રાઉન્ડની થયેલ ચર્ચા મુજબ કમિશ્નરે સુચના આપેલ કે ધાર્મિક કાર્ય હોઈ અને વર્ષોથી જે ઉત્સવ આ જગ્યા પર કરતા હોઈ તેને આ ગ્રાઉન્ડ ટોકન ભાડાથી આપવું તેવી સહમતી દર્શાવી હતી, જો ગુજરાત સરકાર જી એમ ડી.સી ગ્રાઉન્ડ હાર્દિક પટેલને વિશાળ ગ્રાઉન્ડ ટોકન ભાડે આપ્યું હતું અને એ પણ સરકાર સામેનું આદોલન હતું.
વધૂમ તેઓએ ઉમેર્યું હતું કે, જો કેન્દ્ર સરકાર ધારેત તો અયોધ્યા રામમંદિર અને બાબરી મસ્જીદનો જે વિવાદ હતો એની જો હરાજી કરી હોત તો અરબો રૂપિયા આવ્યા હોત,તો ત્યાં કેમ હરાજી નો પ્રશ્ન ઉપસ્થીતના થયો ? જો ધાર્મિક ઉત્સવ માટે હરાજી જ કરવી હોઈ તો વાંકાનેર નગરપાલિકાની બધી જગ્યા માટે હરરાજી થવી જોઈએ. આજે ગ્રાઉન્ડ ગવામાં આવેલ છે તે હિન્દુ ધર્મના ધાર્મિક ઉત્સવ માટે માંગેલ છે. આર.એસ.એસનું ગ્રાઉન્ડ હિન્દુ ધર્મના ઉત્સવ માટે માગેલ છે અને વર્ષોથી અહિંયા હિન્દુ ધર્મના ઉત્સવો ઉજવીયે છીએ જો આ ગ્રાઉન્ડ અમોને નહિ આપવામાં આવે તો સમગ્ર હિન્દુ ધર્મની ધાર્મિક લાગણી દુભાશે અને સમસ્ત સમાજમા રોષ ફાટી નીકળશે. જેથી રાજકીય નેતાના ઈશારે મંજૂરી ન આપી હોવાનો આક્ષેપ કરી હિન્દૂ ધર્મના તહેવારો શાંતિથી ઉજવી શકીએ તે માટે આ ગ્રાઉન્ડની મંજૂરી આપવાની માંગ કરી છે. આ ગ્રાઉન્ડ રવિવાર, તા-૨૧/૦૯/૨૦૨૨ ની સોજ સુધીમાં આપવામાં નહિ તો આવે તેઓ સોમવારે તા. ૨૨/૦૮/૨૦૨૨ના રોજ ઉપવાસ ઉપર ઉતરી જશે તેવી ચીમકી ઊંચેરી હતી
