• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: સેવા એક સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ વીરોના લાભાર્થે યોજાનાર પાટીદાર નવરાત્રી મહોત્સવ ની તૈયારીઓને અપાયો આખરી ઓપ*

મોરબી તા ૨૪ સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદવીરો માટે મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ત્યારે નવરાત્રી મહોત્સવના ગ્રાઉન્ડમાં પત્રકાર પરિષદ યોજવામા આવી હતી અને ત્યારે આયોજકોએ જણાવ્યુ હતુ કે, આ આયોજનથી થનાર આવકમાંથી શહીદ પરિવારોને સહાય, મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ સહિતના સેવા કાર્ય કરવામાં આવશે

 

મોરબીના રવાપર ગામ પાસે નવજીવન ન્યુએરા સ્કૂલની બાજુમાં આવેલ રામેશ્વર ફાર્મમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના સ્થાપક અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી આ ગ્રૂપ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને તેમાંથી થતી આવક ગૌસેવામાં વાપરવામાં આવે છે જો કે, આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે

 

આ અંગે પત્રકાર પરિષદ યોજીને અજય લોરીયાએ જણાવ્યુ હતું કે, આ વખતે નવરાત્રી મહોત્સવમાં ભારતના ખ્યાતનામ ઇન્ડિયન આઇડોલ વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય સારેગમપ અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયાની ટીમને આમંત્રિત કરવામાં આવી છે અને તેના સૂરના તાલે લોકો ગરબે ઘૂમશે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે આ વર્ષે નફાની આવકમાંથી દેશની રક્ષા કરતા શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવામાં આવશે, શનાળા રોડ ઉપર શહીદોની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવશે તેમજ મનોદિવ્યાંગ બાળકોની શાળાને બસ આપવામાં આવશે વધુમાં અજયભાઈ લોરીયાએ જણાવ્યુ હતું કે, સેવા એજ સંપતિ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં પંચોતેર જેટલા શહીદ પરિવારોને દોઢ કરોડ જેટલી રકમની સહાય કરવામાં આવી છે.

Related posts

*હડીયાણા ગામે નવરાત્રિ મહોત્સવ ની રમઝટ બોલી રહી છે ત્યારે સાંસદ પૂનમબેન માડમ દ્વારા લ્હાણી કરાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૦૨ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક આયુર્વેદીક સીરપની ૮૦૦૦ બોટલ સાથે કુલ ૫ લાખનો મુદામાલ પકડી પાડતી પડધરી પોલીસ*

editor

Leave a Comment