સમગ્ર ગુજરાતના ત્રિપા ખ સાધુ સમાજ દ્વારા ગાંધીનગર મુકામે સરકાર સામે ચાલતા ઉપવાસ આંદોલનમાં સરકાર શ્રી સાથે વૈકુંઠ ગીરીબાપુ અને સમાજના આગેવાનો સાથે ત્રણ ત્રણ વખત મંત્રણાઓ પળી ભાંગતા તારીખ 17 10 2022 ને સોમવારના રોજ ગાંધીનગર મુકામે સમગ્ર ગુજરાતના ત્રિપાક્ષ સાધુ સમાજનું એક વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે તારીખ 20 10 2022 સુધી આ આપણું અપવાસ આંદોલન ને અલ્પવિરામ આપી એટલે કે ત્રણ દિવસ ચાર દિવસ રજા રાખી પછીથી નવી નીતિઓ ઘડી આયોજન બંધ રીતે આગળ વધવાનું બધા આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં હિતેશગીરી સુરત હિંમત બાપુ પૂર્ણ વૈરાગી બાપુ તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ સંજય ગીરી ગાંધીનગર ગોસ્વામી પ્રકાશના તંત્રીબિપિનગીરી કલોલ ગોસ્વામી સમાચારના તંત્રી વિશાલ ભારતી ભાવનગર તેમજ અનેક નામ સંતો મહંતો તેમજ ખાસ મોરબી થી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી તથા કારોબારી સભ્ય મહિપત પૂરી તેમજ અન્ય આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને સમાજના હિતમાં જે કાંઈ નિર્ણય લેવાય તેમાં સૌ સાથે મળી અને આગળ વધશો સંજય ગીરી તરફથી ચા પાણી અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરેલ હતી
previous post
