
મોરબી તા ૨૪ મોરબી માળિયા ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા આજરોજ નેહેરુગેટ ચોક થી દરબારગઢ સુધી લોકોને દીપાવલી ની શુભકામનાઓ પાઠવવા નગરપાલિકાના હોદ્દેદારો ભાજપ આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકોની સાથે નીકળ્યા હતા ત્યારે વેપારીઓ દ્વારા બ્રિજેશભાઈ ના વિકાસ કામને બિરદાવી ને ઠેર ઠેર મીઠાઈ ખવડાવીને ફુલ હાર થી સન્માન સ્વાગત કરી બિરદાવ્યા હતા અને દિવસો દિવસ મોરબીના આવા હર હંમેશ વિકાસ કાર્યો કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ લોકો દ્વારા પાઠવવામાં આવી હતી
